Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર : સંજાલી ગામે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તથા મારામારી,રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો કર્યો વિરોધ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે કેટલાક અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી કેટલાક વાહનોને નુકસાન પોહંચાડી ૪ જેટલા લોકોને ઇજા પોહચાડી હતી.પાનોલી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નજીક આવેલ સંજાલી ગામ ખાતે કેટલાક માથા ભારે લોકો ગેરકાયદેસર રીતે મદિરાનું સેવન કરતાં હતા તેમની સાથે નજીવી બાબતે સ્થાનિક લોકોની બોલાચાલી થતાં કેટલાક અજાણ્યા લોકોએ અચાનક આવી પોહચી તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.આ તબક્કે સ્થાનિક રહીશોએ તેમને ટોકતા તેઓએ તેમને પણ માર માર્યો હતો. સમગ્ર બનાવમાં ૪ જેટલા લોકોને ઇજા પોહચી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લખનીય છે કે બનાવને લઈ રોષે ભરાયેલા લોકોએ ઘટના સ્થળે પોહચેલી પોલીસની ગાડીને પણ રોકી વિરોધ દર્શાવ્યો હતો. તેમના મતે પોલીસે ફક્ત આવી ટોળું જોઈ જગ્યા છોડી દીધી હતી.આ બનાવમાં સંજાલીના કેટલાક સમાજ સેવકોના વાહનોને પણ નુકસાન પોહ્ચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement


Share

Related posts

એકતાનગર ખાતે દ્ધિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ખેડા જિલ્લા વિકાસ અધિકારીએ કઠલાલ તાલુકા પંચાયત કચેરીની આકસ્મિક મુલાકાત લીધી.

ProudOfGujarat

કરગત ગામના પાટીઆ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનુ મૌત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!