Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

રાજ્યના ખેડૂતોને ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અંગે માર્ગદર્શન મળી રહે સાથે-સાથે સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં એક દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૧૯નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહોમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કૃષિ મહોત્સવમાં ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને અધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ કર્મચારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

વરેડિયા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પડી જતાં સાયર ગામ ના યુવાનનું મોત.

ProudOfGujarat

સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે તેના બીજા શુક્રવારની સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!