Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

રાજ્યના ખેડૂતોને ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અંગે માર્ગદર્શન મળી રહે સાથે-સાથે સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં એક દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૧૯નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહોમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કૃષિ મહોત્સવમાં ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને અધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ કર્મચારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચના માથાભારે બુટલેગર દ્વારા દારૂ ની હેરાફેરી કરવા જતા એ ડિવિઝને ઝડપી લીધા હતા જ્યારે બે માથાભારે બુટલેગર ફરાર

ProudOfGujarat

પાનોલીની હાઇકલ કંપનીને GPCB એ ક્લોઝર નોટિસ ફટકારી

ProudOfGujarat

ભરૂચમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!