Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

Share

દિનેશભાઈ અડવાણી

હાલ અંકલેશ્વર શહેરમાં દિલને કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં 14 મહિનાની બાળકી સાથે કોઈ અજાણ્યા વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચાવી છે જેમાં હાલ 14 મહિનાની બાળકી ને ભરૂચ સિવિલમાંથી ખસેડી બરોડા સિવિલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવી છે. જેમાં અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા અંકલેશ્વર થી બરોડા સીવીલ હોસ્પિટલ જઈ બળાત્કારનો ભોગ બનેલી 14 મહિલાની બાળકીના પરિવારને આર્થિક મદદ કરી વહેલા તકે આરોપીને પકડીને ફાંસી પર લટકાવવામાં આવે તેવી હાલ અંકલેશ્વરના તમામ રહીશો માંગણી કરી રહ્યા છે.અંકલેશ્વર શહેર પોલીસે આ કેસમાં બળાત્કારના આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ બળાત્કારની ઘટનાને ૪૮ કલાક ઉપરનો સમય વીતવા આવ્યો પરંતુ કોઇ પણ અધિકારી આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો નથી.

Advertisement


Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે મહિલાનું કરૂણ મોત.

ProudOfGujarat

ભરૂચનું કોવિડ-19 સ્મશાન ફરી એકવાર વિવાદમાં આવ્યું જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારના કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસે દરોડા પાડી શરાબનો જથ્થો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!