Proud of Gujarat
Uncategorized

પંચમહાલ: શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે અંબાજી જતા ત્રણ પદયાત્રિકોને કારચાલકે અડફેટે લેતા કરુણ મોત.

Share

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાથી પસાર થતા હાલોલ -શામળાજી હાઇવે માર્ગ ઉપર અકસ્માતની ઘટના બની છે.શહેરા તાલુકાનાં લાભી પાટીયા પાસે આ ઘટના બની છે.જેમા અંબાજી જતા પગપાળા જતા યાત્રીકોને લીધા અડફેટે લેતા ૩ ના યુવાનોના મોત થયા હોવાની જાણકારી મળી છે.આ યાત્રિકો દેવઘઢબારીયા તાલુકાના ભુતપગલા ગામ અને સીંગવડ તાલુકા ના ચુંદડી ના પરબીયા ગામના રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.મરણ જનાર શૈલેષભાઈ સોમાભાઇ બારીયા અશ્વિન કનકસિંહ બારીયા, ભૂત પગલા ગામ તાલુકો દેવગઢ બારીયા,કમલેશ રમણભાઈ પટેલ ગામ ચુંદડી તાલુકો સિગવડ તાલુકાનુ હોવાનુ જાણવા મળેલ છે.જ્યારે સ્વિફટ ચાલકનુ નામ અયુબ અરબ હોવાનુ જાણવા મળેલ છે.
હાલ ત્રણેયના મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે.સ્વીફટ ચાલકને પકડીને શહેરા પોલીસ મથકે લોકઅપમા રાખવામા આવ્યો છે.શહેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તત્કાલિન સલ્ફોનેશન આસી. મેનેજરે સારા પ્રોડેક્ટને સ્ક્રેપમાં બતાવી 12.62 કરોડની ઠગાઇ કરી

ProudOfGujarat

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

ProudOfGujarat

ગામડાના રામ મંદિરમાં હવે કોંગ્રેસ આરતી – શણગાર તથા પૂજાનો સામાન આપશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!