Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

Share

અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં સોનાનો માંગ ચાંદલો, સોનાની ચેન, સોનાની બંગડી વિગેરે જણસો સહિત તિજોરીમાં મૂકેલા રૂ. 45,400 મળી કુલ રૂ.3,66,900/- નું લૂંટ કરી ખળભળાટ મચાવી દીધો છે.
બનાવની વિગત અનુસાર તા.08/09/19 ના રોજ 3 થી 9 કલાક દરમ્યાન લૂંટારાઓ મકાનનું તાળું તોડી ચોરી કરી જતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વળી, પોલીસ માટે પણ આ ધટના પડકારરૂપ બની છે અને ચોરો બેફામ બની સમીસાંજ જેવાં સમયે બિન્દાસ્તપણે ચોરી કરી જાય તે ધટના અંકલેશ્વર પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધટના અંગેની ફરિયાદ રાજેશકુમાર જગતનારાયણ પાઠકે કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

એ.સી.બી.ની સફળ કાર્યવાહી: પોરબંદરમાં નાયબ પર્યાવરણ ઇજનેર લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળામાં ડૉ. આંબેડકર ભવન હોલ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવઃ અભિયાન લોન્ચ થશે

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા દુ વાઘપુરા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!