Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ઝઘડીયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયા નાયબ કલેક્ટરને વિવિધ મુદ્દાઓને લઇને આવેદન આપવામાં આવ્યુ હતુ.

આવેદનમાં જણાવાયા મુજબ ઝઘડીયા ગામમાં ઠેરઠેર કચર‍ાના ઢગલા હોવાથી રોગચાળાની દહેશત છે તેમજ નગરના રસ્તા પણ ખરાબ હોવાનુ આવેદનમાં જણાવાયુ હતુ. ઉપરાંત ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવી, તાલુકાના નર્મદા કાંઠાના ગામોએ થતુ ગેરકાયદેસર રેતખનન અટકાવવું, તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બિસ્માર હોવા બાબત, તાલુકામાં રેત માફીયાઓ દ્વારા રેત ખનન કરીને ઓવરલોડ વાહનો ચલાવાતા રસ્તા ખરાબ થવા સાથે જીવલેણ અકસ્માતો થાય છે તે બાબત તેમજ ઝઘડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓમાં ચાલતા કોન્ટ્રાક્ટમાં સ્થાનિક લોકોને રોજગારી આપવી જેવી વિવિધ માંગો સાથે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ઝઘડીયા નાયબ કલેક્ટરને આવેદન આપીને આ પ્રશ્નો ઉકેલાય તેવી માંગ કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગ‍ાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ પાછળ રેલવે ફાટક પાસે કચરામાં ભીષણ આગ લાગી…

ProudOfGujarat

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

ProudOfGujarat

ભરૂચ વોર્ડ નંબર 1 માં અમૃત મિશન અંતર્ગત બગીચાનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!