Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરેડિયા હાઇવે ઉપર અજાણ્યા ફોરવ્હીલ ની ટક્કરે પદયાત્રા એ નીકળેલાં દંપતીનું મોત

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરૂચ વડોદરા હાઇવે નં ૪૮ ઉપર બલવાસ હોટલ પાસે ભેસ્તાન સુરત થી પદયાત્રાએ નીકળેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટના સ્થળે કમકમાટી ભરી રીતે મોત નિપજ્યા હતા જેના પગલે પદયાત્રા સંઘમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.પદયાત્રીઓ અહીંથી સંઘ વિસર્જન કરી પરત રવાના થયા હતા.
સુરત નજીકના ભેસ્તાનગામમાંથી તારીખ ૨૯ મે ના રોજ સવારે સાત વાગ્યાના ૧૭ જેટલા પદયાત્રીઓ ભાવનગર જવા માટે પદયાત્રાએ નીકળ્યા હતા. તારીખ ૩૧ ના રોજ પદયાત્રીઓ ભરૂચથી વડોદરા તરફ જતા હાઇવે નંબર ૪૮ ઉપર ઉપર નજીક સાડા સાત વાગ્યાના સુમારે સવારે હોટલ બલવાસ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગણેશ ભાઈ શંકરભાઈ પટેલ ઉંમર ૪૦ તેમજ તેમના પત્ની લક્ષ્મીબેન ગણેશભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૫ ને અજાણ્યા વાહને પાછળ થી ટક્કર મારતા બંને પતિ પત્ની નો ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
ઘટના સંબંધે પાલેજ પોલીસે કાયદેસર કાગળ કરી લાશનો કબજો મેળવી સરકારી દવાખાને પી.એમ માટે લઇ જવાયા હતા સુરત ભેસ્તાન થી પદયાત્રા સંઘ ભાવનગર નજીક કોલીયાદ ગામ થી ત્રણ કિલોમીટર દૂર અરબસાગર નજીક આવેલાં શિવજી મંદિર ખાતે દર્શન અર્થે જતાં હતાં ત્યારે આ કરુણ ઘટના બની હતી.પદયાત્રા સંઘ અહીં થી પરત સુરત રવાના થઈ ગયાં હતાં.

Advertisement

Share

Related posts

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો વકર્યો.

ProudOfGujarat

વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.

ProudOfGujarat

સુરત : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ : ધર્મ પરિવર્તનનો આંખ ખોલતો કિસ્સો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!