Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ નળકાંઠા ના થુલેટા ગામ સહિત ગામો મા પીવાના પાણી નો પોકાર,લોકોને 2 કિ.મી. દૂર પાણી ભરવા જવું પડે છે.

Share

તસવીર અહેવાલ-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

ઉનાળાની શરૂઆત થતાં જ જ્યાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર સૃષ્ટિ તોબાતોબા પોકારી રહી છે,ત્યાં ઉનાળાની શરૂઆતથી જ રાજ્યભરમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે,કેનાલોમાં પાણી બંધ થતાં એકબાજુ ખેતરોમાં વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ખેતરોમાં ઘર બનાવી સ્થાયી વસવાટ કરતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે.ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. પાણીનો પોકાર -વિરમગામ નળકાંઠા ના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી ની સમસ્યા,2 કિ.મી દૂર ભરવા જવું પડે છે પાણી.

Advertisement

ઉનાળાની શરૂઆત સાથે ગરમીના પારાની સાથે લોકોની સમસ્યાઓ નો પારો ઉંચકાયો છે. કાળઝાળ ગરમી ની સાથે સમગ્ર ગુજરાતમાં પાણી નો પોકાર ઉઠવા પામ્યો છે. ત્યારે વિરમગામ નળકાંઠા ના અનેક ગામોમાં પીવાના પાણી ની સમસ્યા સર્જાઇ છે. વિરમગામ તાલુકાના નળકાંઠા ના 5 હજારની વસ્તી ઘરાવતા થુલેટા ગામમાં છેલ્લા 10 વર્ષોથી પાણીની સમસ્યાઓ છે.ગામ મા પાણીની ટાંકી છે જે જર્જરિત છે.ગામનો બોર બંઘ હાલતમાં છે જેને લઇને ઉનાળામાં ગામના છેવાડે 2 કિ.મી દૂર કુવામાંથી પાણી ભરવા જવું પડે છે બીજી બાજુ મોટા ભાગના લોકોને પીવાના પાણી માટે વલખાં મારતા મારતા બાજુના ઘોડા સહિત અન્ય ગામોમાં વાહન લઇ પાણી ભરવા જવું પડે છે.


Share

Related posts

સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ ભરૂચના બે બુટલેગરોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

અકસ્માતમાં માતા પિતાના મોતથી અજાણ વરરાજા વિજયે પૂછ્યું, મમ્મી પપ્પા ક્યાં છે? શું કહીને તેને લગ્નવિધી માટે બેસાડી દેવાયો?

ProudOfGujarat

અમૃતસરના સુવર્ણ મંદિરની અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!