Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામની અમરાવતી નદી કિનારે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડયો હતો જયારે મુખ્ય સૂત્રધાર સહીત બે ઈસમો ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના દઢાલ ગામની અમરાવતી નદી કિનારે કેટલાક ઈસમો ફર્ક આંકડાનો સટ્ટો રમી રહ્યા છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં નાશભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને એક ફોન મળી કુલ 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્ષ સ્થિત નવી નગરીમાં રહેતા રણવીરસિંહ હિંમતસિંહ ચૌહાણને ઝડપી પાડયો હતો. જયારે મુખ્ય સૂત્રધાર ફૈઝલ હુશેન શેખ અને વિષ્ણુ અરવિંદભાઈ વસાવા ફરાર થઇ ગયા હતા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અંક્લેશ્વરમાં અેક સપ્તાહમાં ડેન્ગ્યૂના 6, સ્વાઇન ફ્લૂના 3 કેસ..

ProudOfGujarat

નર્મદા બ્રીજ પર રીક્ષા પલટી જતાં ચાલક-મુસાફરને ઇજા

ProudOfGujarat

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ કંપનીમાં અકસ્માત સર્જાયો… કામદારનો બેલી કોણ..?.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!