Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

Share

રાજપીપળાના આરબ ટેકરા ખાતે પ્રેમ લગ્ન કરી આવેલી પરિણીતા સાસરિયાઓના ત્રાસ થી જાતે જ સળગી જતા ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક રાજપીપળા સિવિલ બાદ વડોદરા રીફર કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરબ ટેકરાની સાજેદાબાનુ ઇમ્તીયાઝ મનસુરખાન બલુચી (ઉ.વ.૩૪)એ આપેલી ફરિયાદ મુજબ તેણે કરેલા પ્રેમ લગ્ન શરૂઆતથી જ પતિ સિવાય ના સાસરિયાઓને પસંદ ન હોઇ જેથી સાસુ સહિતનાઓ તેને સાથે અવારનવાર ઝઘડો કરી ગાળાગાળી કરી માનસીક ત્રાસ આપતા હોઇ સાજેદાબાનુંને વારંવારના ત્રાસથી ગુસ્સો આવતા પોતાની જાતે આખા શરીરે કેરોસીન છાંટી સળગી ગઇ હોય ઘટનાની જાણ થતા તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ લાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.આ બાબતે સળગી જનાર સાજેદાબાનુંની ફરિયાદ બાદ સાસરિયાઓ પૈકી(૧)હનીફાબેન મનસુરખાન બલુચી (૨) જમીલાબાનુ ઇમરાનભાઈ બલુચી (૩) ઇમરાનભાઈ મનસુરખાન બલુચી તમામ રહે.રાજપીપળા આરબટેકરા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ₹95 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!