Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

Share

ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક મહિના પહેલા ઝઘડીયા મામલતદારને પુછેલા પ્રજાલક્ષી પ્રશ્નનો સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીએ આજરોજ તા.૧૩ મીના રોજ રાજપારડી ચાર રસ્તા નજીક એક દિવસના પ્રતિક ઉપવાસ આદર્યા છે.આ પહેલા સોશીયલ મિડીયામાં ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે એક સંદેશ માં જણાવ્યુ હતુ કે મામલતદાર ઝઘડીયાને મેં ટેલિફોનીક માધ્યમથી પુછેલા પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે મને સંતોષજનક જવાબ મળ્યો નથી.તેથી હું રાજપારડી ચાર રસ્તા પર તા.૧૩ મીના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશ.જે મુજબ આજરોજ મહામંત્રીએ શરુ કરેલ ઉપવાસ દરમિયાન માજી તાલુકા ભાજપા પ્રમુખ નરેન્દ્ર વસાવા અને અન્ય કાર્યકરો એ તેમને સમર્થન આપ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની આશ્રમશાળા ઈલાવ ખાતે બી. આર. સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના શિક્ષક કવાટર્સ ખાતે નવાગામ પાનુડાના પ્રાથમિક શિક્ષકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કોરોનાની મહામારીમાં પ્રશંસાપાત્ર કામગીરી કરનારા 9 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!