Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે આગ લાગી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ધટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ના 6 ફાયર ફાઇટર ધટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપની બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડીએટસનું પ્રોડક્શન કરે છે અને સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગની ધટનામાં કોઈ જાનહાની થઇ નથી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળીમાંથી બનતું તેલ વાપરે છે : માલીશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસી માટે ટોનિક સમાન.

ProudOfGujarat

વાંકલમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં પેસા એક્ટ અને સમતા જજમેન્ટના અમલની માંગ ઉઠી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર: લીંબડીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન ના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!