Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા

Share

અમદાવાદમાં ચોમાસાની શરુઆતમાં જ રોગચાળો વકરી રહ્યો છે. તેમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય કેસો વધુ સામે આવી રહ્યા છે. સાદા મેલેરીયાના સૌથી વધુ કેસો જોવા મળ્યા છે આ ઉપરાંત પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 755 કેસો નોંધાયા છે. આ કેસોમાં વધુ વધારો જોવા મળશે. પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસો વિવિધ વિસ્તારોમાં સતત સામે આવી રહ્યા છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય કેસો વધુ નોંધાઈ રહ્યા છે.

મચ્છરજન્ય રોગોમાં વધારો

Advertisement

સાદા મેલેરીયા – 56 કેસો
ડેન્ગ્યુ – 25 કેસો
ચિકનગુનિયા – 2 કેસો

પાણીજન્ય રોગચાળાના પણ કેસો વધુ

ઝાડા-ઉલ્ટીના 755 કેસો
કમળા – 132 કેસો
ટાઈફોઈડ – 297 કેસો

અમદાવાદ મ્યુનિસિપિ કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા બીજીતરફ આ કેસોને કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરાઈ છે પરંતુ તે છતાં આ સિઝનમાં કેસો વધુ સામે આવી શકે છે. હેલ્થ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોમર્શિયલ પ્રિમાઈસીસ દ્વારા પ્રિવેન્ટીવ સ્ટેપ લેવામાં આવશે તેટલા આ રોગચાળાના કેસોમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારમાં ફોગિંગ સહીત ચેકીંગની કામગિરી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં આંગણે ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત ત્રિ-દિવસીય ઇન્ડીયા આઇડિયાઝ કોન્કલેવ -૨૦૨૦ નો આજથી થયેલો પ્રારંભ.

ProudOfGujarat

લીંબડી ડેપોની 20 બસો વડાપ્રધાનના પ્રોગ્રામમા મુકાતા મુસાફરોને મુશ્કેલી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!