Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

Share

વડોદરા રેલવે વિભાગે અંકલેશ્વર તેમજ ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 ના રોજ એનજીન્યરિંગ બ્લોક લીધો હોય અનેક ટ્રેનનાં વ્યવહાર ઉપર બે દિવસ દરમ્યાન તેની અસર પડશે. વડોદરા રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાહેર નિવિદા મુજબ આ કામગીરીને કારણે તા. 11 અને 12 ફેબ્રુઆરી ના રોજ બે દિવસ ટ્રેનોના સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા છે. જેમાં ભરૂચ વિરાર પેસેન્જર ટ્રેનને ભરૂચ અને કોસંબા વચ્ચે રદ કરાઈ છે. જયારે સુરતથી જામનગર જનારી ઇન્ટરસીટી અડધો કલાક જયારે જામનગરથી સુરત આવતી ઇન્ટરસીટી 1 કલાક લેટ દોડશે. જયારે મુંબઈ સેન્ટ્રલ ફિરોઝપુર એકસપ્રેસ ટ્રેન 15 મિનિટ મોડી દોડશે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કંડારી ખાતે આયોજિત ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રી નેશનલ આયુષ મિશન અનુદાનિત બે દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ…

ProudOfGujarat

વાપીના ગીતાનગરમાં કાઉન્સિલરની છત્રછાયા હેઠળ ચાલતા કૂટણખાના પર જનતા રેડ

ProudOfGujarat

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!