Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

Share

વડોદરા રેલવે વિભાગે અંકલેશ્વર તેમજ ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 ના રોજ એનજીન્યરિંગ બ્લોક લીધો હોય અનેક ટ્રેનનાં વ્યવહાર ઉપર બે દિવસ દરમ્યાન તેની અસર પડશે. વડોદરા રેલવે વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાહેર નિવિદા મુજબ આ કામગીરીને કારણે તા. 11 અને 12 ફેબ્રુઆરી ના રોજ બે દિવસ ટ્રેનોના સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા છે. જેમાં ભરૂચ વિરાર પેસેન્જર ટ્રેનને ભરૂચ અને કોસંબા વચ્ચે રદ કરાઈ છે. જયારે સુરતથી જામનગર જનારી ઇન્ટરસીટી અડધો કલાક જયારે જામનગરથી સુરત આવતી ઇન્ટરસીટી 1 કલાક લેટ દોડશે. જયારે મુંબઈ સેન્ટ્રલ ફિરોઝપુર એકસપ્રેસ ટ્રેન 15 મિનિટ મોડી દોડશે.

Advertisement

Share

Related posts

માંગરોળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે નવી એમ્બ્યુલન્સ અને પેવર બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે યોજાયો વિજ્ઞાન મેળો.

ProudOfGujarat

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટા ચારોડીયા સીમ (વાડી) વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૦૬.ઈસમોને કુલ.ટો.રૂ.૮૭,૧૨૦/નાં મુદ્દામાલ સાથે પકડી પાડયાં…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!