Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પંથકમાં વેપારી એસોસિયેશન દ્વારા ગુનાખોરીની વારદાતોમાં થયેલા નોંધપાત્ર વધારા સામે બંધનું એલાન અપાયું હતું. વેપારી એસોસિયેશન દ્વારા એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પંથકના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સહીત અન્ય ધંધા રોજગાર ધરાવતા વેપારીઓને અસામાજિક તત્વો દ્વારા ખંડણી માંગી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમજ લૂંટ ફાયરીંગ જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. આ પંથકમાં ગુંડાગીરી વકરી રહી છે, જેથી કોઇ કડક અધિકારીની નિમણૂક કરવામાં આવે. આજરોજ થાનગઢ વેપારી એસોસિએશન બંધનુ એલાન અપાયું હતું. જેના પગલે થાનગઢના વેપાર ઉદ્યોગ બંધ રહેવા પામ્યા હતા. જોકે પોલીસ દ્વારા વેપારીઓને શામ દામ દંડ જેવા હથકંડા અપનાવી બંધના એલાનને પરત ખેંચવા તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા હતા. વેપારી આલમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુંડાગીરી સામે થાનગઢ નહીં ઝુકે. પોલીસ તંત્રની ઢીલાશને કારણે ગુનાખોરી વધવા પામી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભાવનગરના પાલિતાણામાં માતા સંતાનોને શાળાએ મૂકવા જતાં એક્ટિવા સાથે પાણીમાં તણાયા : માતાનો આબાદ બચાવ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે જન્માષ્ટમી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભારત બંધ એલાન ને ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત…. સુત્રોચાર સાથે રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!