Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

Share

આ બનાવની વિગતો પ્રમાણે વિસાવદર તાલુકાની નાની મોંણપરી ગામે રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત (ઉં.વર્ષ-૫૦) કરે છે. જેની મંગળવારનાં રોજ નાની મોંણપરી ગામથી દુર એક અવાવરુ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં શોક સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાના એવા ગામમાં રામજી મંદિરની પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવતને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે એવું જાણવા મળેલ છે. જેમાં બંને દીકરા રાજકોટમાં ધંધો કરે છે અને એક દીકરી સાસરે છે. જયારે રતિભાઈ અને તેમના પત્ની નાની મોંણપરીમાં જ રહે છે અને રામજી મંદિરની સેવા પૂજા કરે છે તેમજ સાથે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ પણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ પોલીસને થતા લાશને વિસાવદર પી.એમ.માટે મોકલી આપેલ છે અને વધુમાં તપાસ થઈ રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા રન ફોર યુનિટી ” નું આયોજન કરાયું.

ProudOfGujarat

નર્મદાના ૨૧ જેટલા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે કલેકટરાલય ખાતે ખાતર-બિયારણ કિટસનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં મસાજ સ્પા ની આડ મા વિદેશી ભારતીય યુવતી ઓ મારફત દેહ વ્યાપાર કરતા એક શખ્સને ઝડપી પાડતી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!