Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

Share

આ બનાવની વિગતો પ્રમાણે વિસાવદર તાલુકાની નાની મોંણપરી ગામે રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત (ઉં.વર્ષ-૫૦) કરે છે. જેની મંગળવારનાં રોજ નાની મોંણપરી ગામથી દુર એક અવાવરુ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં શોક સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાના એવા ગામમાં રામજી મંદિરની પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવતને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે એવું જાણવા મળેલ છે. જેમાં બંને દીકરા રાજકોટમાં ધંધો કરે છે અને એક દીકરી સાસરે છે. જયારે રતિભાઈ અને તેમના પત્ની નાની મોંણપરીમાં જ રહે છે અને રામજી મંદિરની સેવા પૂજા કરે છે તેમજ સાથે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ પણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ પોલીસને થતા લાશને વિસાવદર પી.એમ.માટે મોકલી આપેલ છે અને વધુમાં તપાસ થઈ રહી છે.

Advertisement

Share

Related posts

પદમડુંગરી ઈકો ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે નવતર પ્રોજેક્ટ હાથ ધરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મેગા જોબ ફેરનું આયોજન

ProudOfGujarat

અંકલેશ્વર – પાનોલીના ઉદ્યોગોના માથે તોળાતું સંકટ : નર્મદા ક્લિન ટેકને 30 દિનની સમય મર્યાદા હેઠળની ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!