Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

Share

આ બનાવની વિગતો પ્રમાણે વિસાવદર તાલુકાની નાની મોંણપરી ગામે રામજી મંદિરની સેવા પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવત (ઉં.વર્ષ-૫૦) કરે છે. જેની મંગળવારનાં રોજ નાની મોંણપરી ગામથી દુર એક અવાવરુ જગ્યાએથી સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં શોક સાથે અનેક ચર્ચાઓ થઈ રહી છે. નાના એવા ગામમાં રામજી મંદિરની પૂજા કરતા રતિલાલભાઈ તુલસીદાસ નિમાવતને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે એવું જાણવા મળેલ છે. જેમાં બંને દીકરા રાજકોટમાં ધંધો કરે છે અને એક દીકરી સાસરે છે. જયારે રતિભાઈ અને તેમના પત્ની નાની મોંણપરીમાં જ રહે છે અને રામજી મંદિરની સેવા પૂજા કરે છે તેમજ સાથે મધ્યાહન ભોજનમાં રસોઈનું કામ પણ કરતા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ પોલીસને થતા લાશને વિસાવદર પી.એમ.માટે મોકલી આપેલ છે અને વધુમાં તપાસ થઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના કોલીવાડા-કોતિયામાવ રોડનું કરાયું ખાતમુહુર્ત.

ProudOfGujarat

ભરૂચ જે.બી મોદી પાર્કથી પશ્ચિમ વિસ્તારને જોડતો માર્ગ ચાલુ કરવા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!