Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોને પગલે માર્ગની બંને તરફ ગતિ અવરોધક બનાવવાની માંગ.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામના બસસ્ટેન્ડ પાસે છાસવારે થતાં અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.અકસ્માતોની વણથંભી પરંપરાને યથાવત રાખતો હોય તેમ ગઇકાલે તા.૨૭ મીના રોજ સવારના કોઇ અજાણ્યો વાહનચાલક સારસા ગામનાં જ મનાભાઇ વસાવા નામના એક યુવકને અડફેટમાં લઇને ભાગી છુટ્યો હતો.અકસ્માત બાદ ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા ખાતે સારવાર માટે મોકલ્યો હતો.ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.ઘટના સ્થળે એકત્ર થયેલા ગ્રામજનોએ અકસ્માત કરી ભાગી છુટેલા વાહનચાલક પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી અને અત્રે ગતિ અવરોધકો બનાવવાની માંગણી કરી હતી.ઉલ્લેખનીય છેકે ઉમલ્લા તરફથી આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોંગ સાઇડનો ઉપયોગ કરી દોડતા હોય છે.સારસા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતાં આ ધોરીમાર્ગની બંને તરફ સારસા ગામ વસે છે. વળી શાળાએ જવા પણ બાળકોએ રોડ ઓળંગવો પડે છે અને ગ્રામજનોએ પણ અવારનવાર રોડની એક તરફથી બીજી તરફ જવુ પડે છે.બેફામ દોડતા વાહનો ગામની વસ્તીની પરવા કર્યા વિના પુરપાટ દોડતા હોય છે.માર્ગની બંને તરફ ગામ વસતુ હોવાથી રોડ પર ગતિ અવરોધકો બનાવવાની જરૂર છે.સારસા ગામના બસસ્ટેન્ડ પાસે અકસ્માતોની પરંપરા ચાલુ રહેતા ગ્રામજનો ચિંતિત બન્યા છે.ખાસ કરીને રોંગ સાઇડે દોડતા વાહનો પ્રત્યે પોલીસ લાલ આંખ કરીને આવા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પ્રત્યે કડક પગલા ભરે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. સ્ટેચ્યુને જોડતા આ મહત્વના ધોરીમાર્ગની કામગીરી હાલ વિલંબમાં પડી છે.ત્યારે ખરાબ રસ્તાની સમસ્યા તો છે જ, તેમાં આ રોંગસાઇડે દોડતા વાહનો સમસ્યામાં વધારો કરી રહ્યા છે.સારસા ગામે બસસ્ટેન્ડ નજીક વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે.ત્યારે ગ્રામજનો અહીં સ્પિડ બ્રેકરો બનાવવા ઉચ્ચ કક્ષાએ સક્ષમ રજુઆત કરે તો ધાર્યું પરિણામ મળી શકે એવું હાલ તો દેખાઇ રહ્યુ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

નાંદોદનાં નાવરા ગામે કેન્દ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ સહજોડે નર્મદા જયંતિની ઉજવણી કરી.

ProudOfGujarat

[04/07, 2:07 pm] Dinesh Bhai: ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી. ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે. [04/07, 2:07 pm] Dinesh Bhai: પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!