Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વરાછાની મિનિ બજાર ખાતે રત્નકલાકારોને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

સુરતમાં કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મિનિ બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને અનોખી પહેલ કરી હતી. દુકાનમાં 50 રૂપિયામાં 3 અથવા તો 20 રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાતા માસ્ક લોકોએ મફતમાં આપ્યાં હતાં. માસ્ક લેવા માટે લોકો ખૂબ આવ્યા હોવાથી સેવાભાવી સંસ્થાના લોકોએ દરેકને એક એક માસ્ક આપ્યું હતું. સાથે જ કોરોના વાયરસના કારણે ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ માસ્ક,સેનેટાઈઝર સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરાના દાંડિયામાં કોમી એકતાનો સૂર : ગોધરા શહેરમાં મુસ્લિમ કારીગરો દ્વારા મહામહેનત બાદ રંગબેરંગી દાંડિયાઓને આકાર આપીને સમગ્ર ગુજરાતના ખૂણેખૂણામાં મોકલી રહ્યાં છે રાશ દાંડિયાની રમઝટ બોલાવતા ગરબા રસિકો માટે ઓછા નફો રળી લઈને પણ ધંધો કરે છે

ProudOfGujarat

એમેજોન કંપની માંથી મંગાવેલ સ્પોર્ટ વોચ ના બોક્સની ડિલિવરી ખાલી નીકળતા ગ્રાહકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી હતી…

ProudOfGujarat

પોલીસને ચકરાવે ચઢાવે તેવી રહસ્યોની માયાજાળ : અમરતપુરા ગામે ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યા બાદ બીજી જગ્યા પરથી શરીરના બીજા ભાગોની બેગ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!