Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.

Share

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદામાં પોલીસ ટીમો ખડે પગે રહી લોકડાઉનનું પાલન કરી રહી છે, લોકોના હિત માટે અત્યંત જરૂરી કામગીરીમાં લોકોએ પણ પૂરતો સહકાર આપવો પડશે. પોલીસ પ્રજાના રક્ષણ માટે તો છે જ પરંતુ કોરોના જેવી મહામારીના સમયે પોતાની પરવાહ ન કરી નર્મદા પોલીસ હાલમાં પ્રજાની ફિકરમાં લાગી હોય પ્રજાના મિત્ર તરીકે માસ્ક બાંધવું, કામ વગર બહાર ન જવું જેવી બાબતો સમજાવી મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. એ લોકડાઉન સમયે જોવા મળ્યું ત્યારે આપણી પણ ફરજ બને છે કે પોલીસ કામગીરીમાં પુરતો સહકાર આપવો જોઇએ. નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ગત રાત્રીથી ગુજરાત લોકડાઉન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે ઉપરાંત સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફેલાવનાર સામે પોલિસ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું ઉપરાંત તમામ લોકોને અપીલ પણ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ કે ખોટા મેસેજ ફેલાવવા નહીં અને સરકારી તંત્રને સહકાર આપો.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1272 પર પહોંચી.

ProudOfGujarat

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!