Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાના તીરઘરવાસ ખાતે ચેન્નાઈ થી આવેલ પ્રવાસીઓને ૧૪ દિવસો માટે હોમ ક્વોરેન્ટાઈન માં રાખવામાં આવ્યા હોવાની જાહેર નોટીસ ઘર બહાર લગાડવામાં આવી.

Share

કોરૉનો વાઇરસના સંક્રમણ ના ભયભીત માહોલમાં ચેન્નાઈ ખાતે થી પરત પોતાના વતન ગોધરા માં આવેલ પરીવાર ની જાણ જિલ્લા આરોગ્ય વિભાગ થતાં તાત્કાલીક તપાસ કરી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યો ને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાની સત્તાવાર નામ સરનામા સાથે જાહેર સુચના ની નોટિસ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચોંટાડવાંમાં આવી હતી.
ગોધરાના તીરઘરવાસ ખાતે તા.૨૦ માર્ચ થી ૦૨ એપ્રિલ સુધી ચેન્નાઈથી આવેલ પરિવાર ના સભ્યોની સ્વાસ્થ્ય ભલે સુરક્ષિત હોય પરંતુ ગુજરાતમાં કોરૉનો વાઇરસ ના દિન પ્રતિદિન વધી રહેલા વાઇરસ પીડિત દર્દીઓ અને સંક્રમણને રોકવા માટે હવે આ પરિવારના સભ્યો ને ૧૪ દિવસ સુધી ફરજીયાત હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ૧૪ દિવસ સુધી ઘરની બહાર નીકળવાના પ્રતિબંધ સાથે કોઈની મુલાકાત પણ કરી શકાશે નહીં અને આ સૂચનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ કોરૉનો વાઇરસ ના સંક્રમણના આ માહોલમાં સ્થાનિક રહીશો અને સ્વજનો ને આ પ્રવાસીઓથી દૂર રાખવા માટે ૧૪ દિવસ માટે હરવા ફરવાના પ્રતિબંધ સાથે હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાની નોટીસ નામ જોગ ઘરની બહાર ચોંટાડવાંમાં આવી છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

સુરત ડીસીબી પોલીસે ઇકો કારમાં મોટો દારૂનો જથ્થો વહન કરનારા બે બુટલેગરોને સુરતનાં ખંભાસલા ગામ નજીકથી ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

દેડીયાપાડા : મહીલા પર તાંત્રિક વિધિ કરવાના બહાને અડપલા કરી દુષ્કર્મ કરનારને પકડી પાડતી સાગબારા પોલિસ !

ProudOfGujarat

લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીના સપનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!