Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં ભક્તિ ગ્રુપ તરફથી 600 કીટોનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે સુરતનાં દાતા અલ્પેશભાઇ ગજેરા ભક્તિ ગ્રુપ તરફથી જીવન જરૂરિયાતની કીટોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની ખાસ ઉપસ્થિતિ રહેતા તેમના હસ્તે આ કીટો જરૂરિયાત મંદ પરિવારોને આપવામાં આવી હતી. વાડી ગામનાં સાત જેટલાં ફળીયાનાં 600 જેટલાં જરૂરિયાતમંદ પરિવારો ઉપરોક્ત અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. તેમજ વાડી ગામના બાકી રહેલા અન્ય પરિવારો માટે પણ દાતા અલ્પેશભાઇ ગજેરા એ કીટો આપવાની જાહેરાત કરી હતી. વાડી ગામનાં સરપંચ ભુપેન્દ્ર સિંહ વસાવા, તા.પંચાયતનાં સભ્ય નરપત ભાઇ વસાવા વગેરે આગેવાનોએ કીટનું વિતરણ કર્યું હતું તેમજ દાતા અલ્પેશભાઇ ગજેરાનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ કોલેજ પાસે ના માર્ગ ઉપર થી સવાર ના સમયે એક યુવાન ની હત્યા કરેલ હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

ProudOfGujarat

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ભરૂચ : વાગરાના સુવા ગામ ખાતે સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!