Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 7 લોકોનાં પોઝિટીવ રિપોર્ટ આવતા તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share

દુનિયાભરમાં હાહાકાર મચાવનારી કોરોના વાઇરસની બીમારી હવે ભારતમાં પણ કહેર મચાવવાનું શરૂ કર્યું છે. જેમાં હવે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસ વધવા અને મૃત્યુઆંક વધવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ભરૂચ જીલ્લામાં પણ 7 જેટલા લોકોનાં કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં ઇખર ગામમાં તામિલનાડુથી આવેલ જમાતનાં 11 લોકો પૈકી 4 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે સાંજનાં વધુ એકનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેઓને જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે જંબુસરમાં દેવલા ગામનાં બે લોકોનાં રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમણે પણ વિશેષ બનાવેલી જયાબેન મોદી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ લોકોને વહીવટીતંત્ર તરફથી અપીલ કરી છે આ લોકોનાં સંપર્કમાં આવેલા લોકો સ્વેચ્છાએ પોતાની મેડિકલ તપાસ કરાવી લેવી.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નીકળ્યો, લોકોથી બચવા હવામાં ફાયરીંગ કર્યું

ProudOfGujarat

પિડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટીએ વુડવર્કિંગ અને પ્લમ્બિંગમાં એડવાન્સ સ્કીલ્સ માટે દેશનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું

ProudOfGujarat

વડોદરા-ઇટોલીના ગ્રામજનો,વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અઢી વર્ષમાં પરિશ્રમ કરી ગામની શાળાને સ્વચ્છતામાં નેશનલ કક્ષાએ એવોર્ડ અપાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!