Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓ સેનેટાઈઝર કરવામાં આવી.

Share

કોરોના વાઇરસે હાલમાં સમગ્ર વિશ્વને અજગરી ભરડો લીધો છે ત્યારે કોરાનાને લઈ સમગ્ર ગુજરાત સહિત દેશ સતર્ક છે અને હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્રની સાથે આરોગ્ય કર્મચારીઓ,સરપંચો,તલાટીઓ, પણ એલર્ટ જોવાં મળી રહ્યા છે.પોતાનાં ગામ સુધી આ વાયરસને આવતો અટકાવવા પગલાં લઈ રહ્યા છે. ત્યારે કરજણ નગરપાલિકા ચીફ અધિકારી અને પ્રમુખના અથાર્ગ પ્રયત્નોથી કરજણની તમામ મહત્વની સરકારી કચેરીઓમાં તા.૨૦ મી ને સોમવારનાં રોજ સેનેટાઈઝર છંટકાવ કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા,તાલુકા પંચાયત,પોલીસ સ્ટેશન,મામલતદાર કચેરી,સિવિલ કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ વગેરે કચેરીઓમાં સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો. કરજણ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે કોરોના વાયરસને લઈ જાગૃત રહેવા સૌ નાગરિકોને પોતાનાં ઘરમાં રહો સુરક્ષિત રહોની અપીલ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી અષાઢી બીજ ના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથ ની 36 મી રથયાત્રા ની તડામાર તૈયારીઓ.

ProudOfGujarat

ભરૂચના મકતમપુર ગામ ખાતે હઝરત મખદૂમ સૈયદ સરફુદ્દીન મશહદી બાવાનો 635 મો ઉર્સ મુબારક ઉજવાશે.

ProudOfGujarat

ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!