Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

Share

કોરોના મહામારીને લઇ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, જેને લઇ હજારો શ્રમિકોની હાલત કફોડી બની છે, શ્રમિકો તંત્ર પાસે પોતાના વતન જવાની ગુહાર લગાવી રહ્યા છે તેવામાં તેઓ પાસે ટીકીટનો દર પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે. શ્રમતી સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા લોક ડાઉનમાં વતન જવા માંગતા શ્રમિકો માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને મદદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમિકો માટે કાર્યાલયના દ્વાર ખુલ્લાં મૂક્યા છે અને તેઓને ટીકીટનાં દર ૬૫૦ તેમજ ફૂડ પેકેટ માટેનાં ૩૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ આપવામાં આવી રહ્યા છે. આજરોજ સવારે શહેરના કાળી તલાવડી વિસ્તારમાં કોંગી આગેવાનોએ ૮૦ થી વધુ શ્રમિકોને રૂપિયાનું વિતરણ કરી તેઓના વતન હસી ખુશીથી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં રાણીપુરા ગામે ખેતીની જમીનમાં દબાણ કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.

ProudOfGujarat

ભરૂચ ના સ્ટેશન રોડ પર નગર પાલિકા ના કર્મચારીઓ દ્વારા દબાણો દુર કરવામાં આવતા લારી ધારકો  સાથે થયેલા હોબાળા માં એક વ્યક્તિ ઘાયલ થયો હતો … 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!