Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

Share

કોરોના મહામારીને લઇ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે, જેને લઇ હજારો શ્રમિકોની હાલત કફોડી બની છે, શ્રમિકો તંત્ર પાસે પોતાના વતન જવાની ગુહાર લગાવી રહ્યા છે તેવામાં તેઓ પાસે ટીકીટનો દર પણ ઉઘરાવવામાં આવી રહ્યો છે. શ્રમતી સોનિયા ગાંધી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ દ્વારા લોક ડાઉનમાં વતન જવા માંગતા શ્રમિકો માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને મદદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમિકો માટે કાર્યાલયના દ્વાર ખુલ્લાં મૂક્યા છે અને તેઓને ટીકીટનાં દર ૬૫૦ તેમજ ફૂડ પેકેટ માટેનાં ૩૦૦ રૂપિયા વ્યક્તિ દીઠ આપવામાં આવી રહ્યા છે. આજરોજ સવારે શહેરના કાળી તલાવડી વિસ્તારમાં કોંગી આગેવાનોએ ૮૦ થી વધુ શ્રમિકોને રૂપિયાનું વિતરણ કરી તેઓના વતન હસી ખુશીથી પહોંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ડિવિઝનના ૮ પોલીસ સ્ટેશનના ૨૫૫ કેસમાં ઝડપાયેલાં ૧.૫૮ કરોડના દારૂની બોટલ પર બુલડોઝર ફેરવાયું

ProudOfGujarat

આફ્રિકા : કાંગોમાં નદીમાં હોડી પલટતાં 51 લોકોના મોત: 69 લોકો લાપતા

ProudOfGujarat

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપે આપ્યો કોંગ્રેસને ઝટકો, ૩૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયા ખેસ ધારણ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!