Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વહીવટી તંત્ર દ્વારા વાંકલ મૈસુરીયા સમાજનાં દરેક ઘરોમાં અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

કોરોના વાયરસની વૈશ્વીક મહામારીમાં લોકડાઉન છે ત્યારે માંગરોળ વહીવટી તંત્રને સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાએ જાણ કરી હતી. તેને વહીવટી તંત્ર તાત્કાલિ ધોરણે અનાજ કીટનું વિતરણ સામાજિક કાર્યકર શૈલેષ મૈસુરીયાનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉંનો લોટ, ખાંડ, ચા, તુવર દાળ, અડદ દાળ, ચોખા, મરચું, ધાણા જીરુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટ વિતરણમાં વિનોદ મૈસુરીયા, ઈશ્વર મૈસુરીયા, અનિલ મૈસુરીયા પણ હાજર રહ્યા હતા. મૈસુરીયા સમાજ તરફથી મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર ગિરીશ ભાઇ તથા ટી.ડી.ઓ. ડી.બી. પટેલ સાહેબનો આભાર માન્યો છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં એમ. ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

ProudOfGujarat

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા રાહતદરે મીઠાઇ ફરસાણનુ વેચાણ શરૂ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!