Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલનાં જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ થયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકા છ ગામો સહિત આજુબાજુ અન્ય તાલુકાનાં જરૂરીયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ વાંકલના પ્રમુખ શશીકાંત ગોવિંદભાઇ પરમાર, મહામંત્રી આશિષકુમાર ભાઇલાલ પરમારના નેતૃત્વ હેઠળ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ટ્રસ્ટનાં કાર્યકરોએ ઘરે-ઘરે જઈ અનાજકીટનું વિતરણ કર્યું હતું. જેમા માંગરોળ, કોસંબા, સીમોદ્રા, વાંકલ, ઘોડબાર, ઝંખવાવ તેમજ વાલિયા તાલુકાના ભરાડીયા, નેત્રંગ, કોયલી માંડવી, અંકલેશ્વર, સાજોદ, હાસોટ, વઘવાણ, ઓલપાડ, ઊંડીકોરી માલપોર સહિત કુલ 18 ગામોમા અત્યંત જરૂરિયાતમંદ લોકોને શોધી અનાજકીટનું વિતરણ કરાયુ હતું. ઉપરોક્ત સેવા કાર્યમાં ટ્રસ્ટનાં ઉપપ્રમુખ અરવિંદભાઇ નાથુભાઇ કટારીયા, અલ્પેશભાઇ મકવાણા, જગદિશભાઇ મકવાણા ,ઉપેન્દ્ર પરમાર મુકેશ મકવાણા હાજર હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના વાલિયા ખાતે આન-બાન-શાન સાથે ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

વનરાજ કોલેજ ધરમપુરમાં ડૉ.પી.સી.મલેક તથા ગ્રંથપાલ સનત ભટ્ટ નો વિદાય સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!