Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

Share

આમોદ નવા બસ સ્ટેન્ડ પરથી બે સરકારી બસો દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને ભરૂચ રેલ્વે સ્ટેશન માટે રવાના કરવામાં આવ્યા હતા. મામલતદાર જે.ડી પટેલનાં હસ્તે બસોનું સુચારું આયોજન કરી ભરૂચ સુધી 65 જેટલા પરપ્રાંતીય મજૂરોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ પરપ્રાંતીય શ્રમિકોને મધ્યપ્રદેશ શ્રમિક ટ્રેન મારફતે ભરૂચથી મોકલવામાં આવશે. મામલતદાર દ્વારા તમામ શ્રમિકો માટે ફૂડ પેકેટ તેમજ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. લોકડાઉનને લઈને લાખો શ્રમિકો ભરૂચ જીલ્લામાં ફસાયા છે જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શ્રમિકો પરિવાર અને વતન જવા માટે માંગ કરી રહ્યા હતા. આવા મજૂરોની નોંધણી કરી તેમણે વતન મોકલવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા : સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.

ProudOfGujarat

વલસાડ જીલ્લાના કિલ્લા પારડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના બકાભાઈએ સુદામાપાત્ર ભજવી લોકોના દિલ જીતી લીધા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!