Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ઉકાળાનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં ચવડા ગામે ડુંગરીપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચવડાં પાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી હેતલબેન જોશી અને આયુર્વેદિક દવાખાના ડોક્ટર નિલેશભાઈનાં નેતૃત્વમાં ઉપરોક્ત ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ઉકાળાનું વિતરણ ગ્રામજનોને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ભાજપનાં પ્રમુખ વાલજીભાઈ વસાવા ચવડા ગામના સરપંચ પ્રવીણ ભાઈ વસાવા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોની સાથે તેમણે પણ કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

વડોદરાના હરણી વિસ્તારના રહીશોનો પીવાનું પાણી ન મળતા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

ProudOfGujarat

કાલોલ તાલુકાના કાતોલ ગામે આયુષ્માન ભારત આરોગ્ય વીમા અંતર્ગત ગોલ્ડન કાર્ડ ની કામગીરી હાથ ધરવામાં આવી:

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ખુશી ચુડાસમા રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!