Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Share

વાગરા તાલુકાના દહેજ ખાતે બે દિવસથી પરપ્રાંતીયો દ્વારા વતન જવા માટે ભારે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા જ્યારે આજરોજ પોલીસ વડા દ્વારા દહેજ ખાતે પહોંચી જઈને તમામ પરપ્રાંતિયોને સમજાવ્યા હતા અને તેમને 300 કીટ અનાજની આપી હતી સાથે સાથે છ હજાર લોકોનું જમવાની વ્યવસ્થા કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસે પરપ્રાંતીય લોકોની સમસ્યાઓ સાંભળીને એક પણ વ્યક્તિ ભૂખો ના રહે તે માટે ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી અને અપીલ કરી હતી કે આગામી દિવસોમાં જે લોકો વતન જવા માંગતા હોય એમને વતન મોકલવામાં આવશે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

ProudOfGujarat

નડિયાદના રેલવે સ્ટેશન પર યુવકને ઇજા પહોંચાડી અજાણ્યા ઇસમો લૂંટ કરી ફરાર.

ProudOfGujarat

25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં કેટલીક ઓફિસો આંશિક રીતે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!