Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દીજમાતનાં યુવાનોને નજીવી બાબતે ઉચ્ચ જ્ઞાતિનાં લોકોએ ઢોર માર મારવાથી સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

Share

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે નજીવી બાબત અંગે ઉચ્ચ જ્ઞાતિનાં લોકો દ્વારા સિદ્દી સમાજનાં યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો આ બનાવને વખોડવા સિદ્દી જમાત રતનપૂર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. પ્રાંત અધિકારી ઝધડીયાને સિદ્દી સમાજ રતનપુર દ્વારા આવેદનપત્ર પાઠવાયુ હતુ. આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે સિદ્દી જાતિનાં યુવાનોને દોરડા વડે બાંધી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને સિદ્દી જમાત રતનપુર વખોડી કાઢે છે. સિદ્દી સમાજ શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે તેમજ અનુસૂચિત જનજાતિમાં સિદ્દી સમાજનો સમાવેશ થાય છે તેથી એટ્રોસિટી એક્ટ મુજબ નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. અન્યથા ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ ગુજરાતની ઘટના પ્રસ્તુત કરશે.

ProudOfGujarat

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

ProudOfGujarat

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!