Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.

Share

ભરૂચ જીલ્લામાં ગત રાત્રિનાં સમયે પવન સાથે વરસાદનાં ઝાંપટાએ જીલ્લાનાં નવ તાલુકાઓને ભીંજવી નાંખ્યા હતા. ગઇકાલે જોરદાર પવન અને ધોધમાર વરસાદને કારણે લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જયારે નવ તાલુકાનાં વરસાદનાં આંક જોવામાં આવે તો ભરૂચ-45 મીમી, અંકલેશ્વર-6 મીમી, આમોદ-18 મીમી, જંબુસર-39 મીમી, નેત્રંગ-10 મીમી, વાલિયા-8 મીમી, વાગરા-57 મીમી, હાંસોટ-11 મીમી, ઝઘડિયા-6 મીમી વરસાદ ખાબકી ગયો હતો. જયારે ધોધમાર વરસાદમાં વારંવાર વીજપ્રવાહ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. જયારે શહેરમાં લીમડી ચોક વિસ્તારમાં વીજપોલ ઉપરથી કરંટ ઉતરતા બે ગાયોનાં મોત થયા હતા. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે ભરૂચનાં નર્મદા એપાર્ટમેન્ટમાં ઓમ ટાઈપિંગની દુકનની ઉપરની છત તૂટી પડતાં ખુરશી, કોમ્પુટર તૂટી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જયારે ભરૂચ જીલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદની આગાહી છે.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂની દહેશત બાદ ગુજરાતમાં તંત્ર એલર્ટ, ભરૂચમાં ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં એકતાનગરના વિવિધ મહત્વના સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ સફળ મોકડ્રીલ યોજાઈ

ProudOfGujarat

હાંસોટ તાલુકમાંથી ચેન્નઈ ખાતે તબલિગી જમાતમાં ગયેલ ચાર વ્યક્તિઓ ચેન્નઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ હાંસોટ પરત આવતાં તેમનાં હાંસોટ સી.એચ.સી. દવાખાના ખાતે આજે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!