Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બે દિવસ પહેલા લાગેલી આગમાં વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં બે દિવસ પહેલા વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક કામદારનું ગંભીર દાઝી જવાથી તેનું મોત નીપજયું હતું. જયારે પાંચથી વધુ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાથી વધુ એક કામદાર સુજીતકુમાર મહતો ઉ.વ.30 હાલ રહે. શાંતિનગરનાઓનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જયારે હાલ અન્ય ચાર કામદારોની સારવાર ચાલી રહી છે. હાલ તો આ મામલે પોલીસ તપાસ FSL અને હેલ્થ એન્ડ સેફટી વિભાગ દ્વારા આગ લાગવાની ઘટનામાં તપાસ કરી રહી છે. તેમના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં કારચાલકે અચાનક ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલતાં બાઈક અથડાતાં મહિલાનું મોત

ProudOfGujarat

નબીપુર હાઇસ્કુલ ખાતે 15 થી 18 વર્ષની વયના બાળકોનો કોરોનાની રસિકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંક્લેશ્વરના ભડકોદ્રા ગામે ઘરમાં જ જુગાર રમતાં પાંચ ઝબ્બે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!