Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

Share

પાલેજ રેલવે સ્ટેશન શનિવારે સવારે 7:30 સમયે આશરે પાલેજ રેલવે સ્ટેશન કિ.મી ૩૫૧/ ૫ તેમજ ૩૫૧/ ૩ ની વચ્ચે અપલાઈન પરથી પસાર થતી કોન રાઈઝ ટ્રેનની અડફેટે પાલેજ ફરીદ બાવા કંપાઉન્ડ પાસે રહેતાં પશુપાલક દૂધનો વેપાર કરતાં વિહાભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ.આશરે ૫૦ નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના સંબંધ ભરૂચ રેલવે/ જી.આર.ડી/ એ.એસ.આઈ /બસીરભાઇ અબ્દુલભાઇએ કાયદેસર કાગળો કરી લાશને પી.એમ માટે ભરૂચ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકનાં સગાંઓ દોડી આવ્યાં હતાં અને શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી જ્યા બેસે છે તે માળ પર વરસાદી “રીમઝીમ “માળની છત પર ટપક ,ટપક !

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 20,21,22 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિજી કોન્ફ્રાન્સમાં આપી શકે છે હાજરી.

ProudOfGujarat

નડિયાદ સહિત જિલ્લામાં પડેલી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા વેપારીઓએ લીલી નેટ – છત્રીનો સહારો લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!