Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

Share

પાલેજ રેલવે સ્ટેશન શનિવારે સવારે 7:30 સમયે આશરે પાલેજ રેલવે સ્ટેશન કિ.મી ૩૫૧/ ૫ તેમજ ૩૫૧/ ૩ ની વચ્ચે અપલાઈન પરથી પસાર થતી કોન રાઈઝ ટ્રેનની અડફેટે પાલેજ ફરીદ બાવા કંપાઉન્ડ પાસે રહેતાં પશુપાલક દૂધનો વેપાર કરતાં વિહાભાઈ દેવાભાઈ ભરવાડ ઉ.વ.આશરે ૫૦ નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના સંબંધ ભરૂચ રેલવે/ જી.આર.ડી/ એ.એસ.આઈ /બસીરભાઇ અબ્દુલભાઇએ કાયદેસર કાગળો કરી લાશને પી.એમ માટે ભરૂચ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકનાં સગાંઓ દોડી આવ્યાં હતાં અને શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

શું! માત્ર 18 વર્ષની ઉંમરે, અભિનેત્રી કશિકા કપૂરે અર્જુન બિજલાણી અને ગુરમીત ચૌધરી સાથે ગીત દિલ પે ઝખ્મ માટે T-Series સાથે તેનો પહેલો પ્રોજેક્ટ મેળવ્યો હતો.

ProudOfGujarat

કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ :  14 ઓગસ્ટથી 12933 અને 15 ઓગસ્ટથી 12934 ટ્રેનનું નવસારી ખાતે પ્રાયોગિક ધોરણે રોકાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!