Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં મુસ્લિમ સુફી અગ્રણીનું ૯૨ વર્ષની વયે નિધન.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી ખત્રી મોંહમદજી જમાલજીનું ૯૨ વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. આજે તા.૨૩ જુનનાં રોજ રાજપારડી ખાતે તેમનું અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને તેમના વતન ભાલોદ મુકામે લઇ જવાયો હતો, જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. સદગત સુરત સ્થિત ખાનકાહે ચિસ્તીયા-સુફી આસ્તાનાની ખિલાફત ધરાવતા હતા.”બાપુજી”ના હુલામણા નામે જાણીતા હતા. ઉપરાંત તેઓ આયુર્વેદિક ઔષધિઓનું બહોળુ જ્ઞાન ધરાવતા હતા. તેમના અવસાનના સમાચાર સોસિયલ મિડીયા દ્વારા ફેલાતા તેમના સંબંધીઓ અને ચાહકોમાં શોક ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં હસ્તી તળાવ પાસે બાઈક ખાડામાં પટકાતા બાઈક પાછળ બેસેલ મહિલાને પટકાતા ગંભીર ઇજા

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

નાતાલ પર્વ નિમિત્તે પ્રેમ અને શાંતિના સંદેશ પ્રચારાર્થે ધાર્મિક યાત્રા : લોકો ઉત્સાહપૂર્વક જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!