Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તા 7/7/2020 ના રોજ ભરૂચ જિલ્લામાં વધુ 19 કોરોના દર્દી જણાયા હતા. જે ચિંતા જનક બાબત છે. તે સાથે ભરૂચ નગરમાં પણ કોરોનાનાં કેસો વધતા જઈ રહ્યા છે. ભરૂચમાં વધુ 13 દર્દી કોરોના પોઝિટિવ જણાયા હતા જયારે અંકલેશ્વરમાં વધુ 3 દર્દી કોરોના પોઝિટિવ જણાયા હતા જ્યારે આમોદ, હાંસોટ અને ઝઘડિયામાં એક એક એમ કુલ 19 દર્દી ઉમેરાતા અત્યાર સુધી કોરોના પોઝિટિવ કુલ દર્દી 352 નોંધાયા હતા. કોરોનાના આજે ઉમેરાયેલા 19 દર્દીઓમાં ભરૂચમાં ગ્રામ્ય વિસ્તારમાં 9 જયારે નગરમાં વિસ્તારમાં 4, આમોદમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારમાં 1, નગર વિસ્તારમાં 3, જયારે ઝઘડિયા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ છે. આમ આજે નવા નોંધાયેલ 19 દર્દીઓ પૈકી 13 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે. જયારે 6 દર્દીઓ શહેરી વિસ્તારમાં આવેલ છે.

Advertisement

Share

Related posts

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝાટકો, હવે આ નેતાએ 150 કાર્યકર્તાઓ સાથે ભગવો ધારણ કર્યો

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલથી માંડવાને જોડતો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોમાં આક્રોશ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેક્ટર તરીકે હવાલો સંભાળતા શ્રી ઉદીત અગ્રવાલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!