Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર થયેલ હુમલાનાં મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

Share

સુરતનાં પૂણાગામ સીમાડા રોડ યોગી ચોક ખાતે આવેલ આમ આદમી પાર્ટીનાં કાર્યાલયમાં ચાર અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી પ્રભારીને BJP નો વિરોધ કરવાનો અને પોસ્ટર લગાવવાનો તેને બો શોખ છે તેમ કહી માર મરવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પ્રભારી શર્માભાઈએ ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ સરથાના પોલીસે માર મારવાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ બનાવનાં અનુસંધાને ભરૂચ આમ આદમી પાર્ટીએ ભરૂચનાં પાંચબત્તી ખાતે આ હુમલાને વખોડતા ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા ભાજપ મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી, કલ લડે થે ગોરો સે આજ લડેગે ચોરો સે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજયમંત્રી તેમજ આરોગ્યમંત્રીની હાય હાય બોલાવી હતી. પોલીસે આ વિરોધ પ્રદર્શન અટકાવતાં ભારે ધર્ષણનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

દેડિયાપાડાના ત્રણ ગામમાં સસ્તા અનાજની દુકાનેથી સડેલું અનાજ મળતા સાંસદને રજૂઆત

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખી નર્મદા જિલ્લાનાં વેન્ટિલેટર અને સ્ટાફને વહેલી તકે પરત કરવાની માંગણી કરી.

ProudOfGujarat

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના પી.એમ. નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!