Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 38 કેસો સાથે આંકડો 559 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

Share

ભરૂચ જિલ્લામાં આજે અત્યાર સુધી કોરોના વાયરસનાં 38 પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 559 પર પહોંચી છે. માત્ર 2 દિવસમાં જ કોરોના પોઝીટીવનાં 50 થી વધુ કેસ નોંધાયા છે જેથી તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસો વધુ જોવા મળી રહયા છે, જેથી હવે જિલ્લામાં જાહેર માર્ગો અને સ્થળો પર નીકળતા લોકોએ સાવચેતી સાથે સલામતી રાખવા જેવી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. આજે ક્યાં અને કેટલા કેસો નોંધાયા તેની વિગત જોતાં ભરૂચમાં 17, અંકલેશ્વરમાં 13, જંબુસરમાં 2, હાંસોટમાં 2, વાગરામાં 2, આમોદમાં 2 મળી કુલ 38 કેસ નોંધાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલતા કરોડા ના વિકાસ ના કામોમાં બેદરકારી ની ઉઠી બુમરાણ

ProudOfGujarat

સેવાલીયા ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

ProudOfGujarat

પાલિતાણા નજીકના શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નો અંજન સલાકા મહોત્સવ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!