Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.

Share

કોરોના મહામારીનાં પગલે ભરૂચ શહેર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા શહેરીજનો પૈકી જે વ્યક્તિનું કોરોના પોઝીટિવથી અવસાન થયું હોય ત્યારે તેમની અંતિમક્રિયા માટે તેમના નજીકનાં સગાં-સંબધીઓને પણ દૂર કરવામાં આવે છે. મૃતદેહનાં શરીરને પકડવા કોઈ તૈયાર નથી ત્યારે નગરપાલિકા ભરૂચ દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના પોઝીટિવ કેસથી મૃત્યુ પામેલા વ્યક્તિને અંતિમક્રિયા સુધીની કામગીરી કરવા માટે સ્વયંસેવકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં 5 વ્યક્તિ છે. આ ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિ કોરોના વાઇરસને લઈને અથવા શંકાસ્પદ મોત થશે તો શહેરીજનો દ્વારા નગરપાલિકાને ફોન કરવાથી આ ટીમ જેતે જગ્યા પર પહોંચી એમ્બુલન્સ મારફતે અંતિમક્રિયા અર્થે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જશે અને ટીમ જાતે અંતિમક્રિયા કરશે. નગરપાલિકાએ આ અંગે અલગ એમ્બુલન્સની ફાળવણી કરેલ છે એ સાથે સ્વયં સેવકોની સેફટી અંગે ખ્યાલ રાખવામા આવ્યો છે. તેમને પી.પી.ઇ. કીટ તેમજ માસ્ક આપવામાં આવશે. આવી મોતની ઘટના બને ત્યારે રહીશોએ 02642220151 અથવા 9574007048 પર સંપર્ક કરવા જણાવાયું છે. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર આવી સમિતિની રચના કરવામાં આવી હોવાનું અનુમાન છે.

Advertisement

Share

Related posts

ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં નેત્રંગ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

ઝઘડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય મોટી સંખ્યામાં માછલીઓના મોત

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ  સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!