Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં અગ્રણી,ખેડુત અને સહકારી આગેવાન અંબુભાઈ પટેલનાં નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અંબુભાઈ પટેલ નિધન અંગે રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે અંબુભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સારા ખેડુત આગેવાન હતા અને ખેડુતોના પ્રશ્નોને માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. તેઓ એક સનિષ્ઠ અને નિખાલસ સ્વભાવના આગેવાન હતા. તેમના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા આગેવાનની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલ અંબુભાઈ પટેલની માંદગી દરમ્યાન તેમના પરીવારજનો સાથે સતત સંપર્કમાં હતા. તેમણે અંબુભાઈ પટેલના નિધન થતા તેમના પરિવારજનોને સાથે ટેલીફોનીક વાત કરી સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ધોળે દિવસે પાંચબત્તી વિસ્તારમાં જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ, ફાયરિંગમાં બે લોકો થયા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

મહામારીના હીરોથી નાના વ્યવસાય સમર્થક: સોનુ સૂદ 92 વર્ષ જૂના રેસ્ટોરન્ટની ઉજવણી કરે છે

ProudOfGujarat

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!