Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝીટિવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓનાં મોત નીપજયાં પરંતુ અત્યારસુધી સત્તાવાર જાહેરાત કરાય નથી.

Share

આજે જુલાઇ માસનાં અંતિમ દિવસે કોરોનાનાં પ્રકરણમાં ભરૂચ જીલ્લામાં એકસાથે સૌથી વધુ મોતનો આંકડો નોંધાઈ તેવી શકયતાઓ ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારસુધી 3 કરતાં વધુ દર્દીઓનાં મોત નીપજયા છે તેમ છતાં હજી આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભરૂચ તંત્રની કોરોના બાબતે એવી હાલત છે કે મૃત્યુ થયા બાદ કેટલીકવાર ઘણા દિવસ પછી જાહેરાત કરવામાં આવે છે અને કેટલીકવાર જાહેરાત કરવામાં આવતી નથી. ડેથ ઓડિટનું કારણ આ બાબતે તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. વાસ્તવમાં ડેથ ઓડિટ શું છે તેની યોગ્ય સમજ તંત્રએ લોકોને આપવી રહી.

Advertisement

Share

Related posts

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

ભાવનગર : જીઆરડી જવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા ગટગટાવી.

ProudOfGujarat

આણંદ પાસે અંગાડી સ્ટેશને ટ્રેન રોકી લૂંટ કરનાર 2 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!