Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાતા કુલ સંખ્યા 1096 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાયા કુલ સંખ્યા 1096 ની થઈ જોકે આજે 20 જેટલા દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ. તારીખ 10-8-2020 ના રોજ ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર 17 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો હતો. જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1096 થઈ હતી. આજે ઉમેરાયેલા 17 નવા દર્દીઓમાં તાલુકા પ્રમાણે ભરૂચમાં-6, અંકલેશ્વરમાં-7, આમોદ-2, ઝધડીયા-1, જંબુસર-1 પોઝિટિવ દર્દીનો સમાવેશ થાય છે. હજી 162 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર અપાઈ રહી છે. મળતી માહિતી મુજબ જોલવાનાં 1, ભરૂચનાં 1, અંકલેશ્વરનાં 4 એમ કુલ 6 દર્દીઓનાં આજે મોત નીપજયાં હોવાની માહિતી મળેલ છે જેનો ઉલ્લેખ સત્તાવાર જાહેર કરેલ નથી.

Advertisement

Share

Related posts

કરજણમાં લારી ગલ્લા ધારકોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદન પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉદ્યોગો બન્યા બેફામ : વરસાદી પાણીના વ્હેણમાં કેમિકલ યુક્ત પાણી છોડયું ..!

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!