Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શહેરને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાનાં મુખ્ય અધિકારીને ભેટ : શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગ..!!

Share

ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાનાં મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીનાં ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીનાં દિવસોમાં ઘણી જગ્યાઓ પર નિયમિત સફાઈ ન થતા કચરા પેટી વિના કચરાના ઢગ જોવા મળતા સ્થાનિક રહીશોને ચોમાસાની ઋતુ અને કોરોનાનાં હાઉ વચ્ચે બીમારીમાં સપડાઈ તેવો ડર સતાવી રહ્યો છે. જો ધાર્મિક સ્થળો પાસે જ ગંદકી કે કચરાના ઢગલા જોવા મળે તો શહેરનાં અન્ય વિસ્તારોમાં કેવી સફાઈ થતી હશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠ્યો છે. વેરો વધારવા ઉતાવળા બનેલા પાલીકા સત્તધીશો તેમજ કેટલાક સદસ્યો પ્રજાને પાણી,સફાઈ જેવી પાયાની સુવિધા યોગ્ય રીતે મળે એ બાબતે યોગ્ય તકેદારી રાખે અને રાજપીપળા શહેરમાં કોરોનાની સાથે સાથે અન્ય કોઈ મોટો રોગચાળો ન વકરે તે દિશામાં પગલાં લે તેવી માંગ ઉઠી છે.કેટલાક સદસ્યોનાં ફળીયામાં પણ આવી તકલીફો જોવા મળતી હતી પરંતુ જે તે સમયે સદસ્યોનાં મતે મુખ્ય અધિકારી સભ્યોનું પણ સાંભળતા નથી ઉપરથી ઘણો સ્ટાફ ઓછો કરી દેતા હાલ સફાઈ સહિત અનેક બાબતે પાલીકા તંત્રની કામગીરી નિષ્ફળ જતી જોવા મળે છે.તેવા સંજોગોમાં નર્મદા કલેક્ટર પણ જો મૌન સેવી બેઠા હોય તો ફરિયાદ કોને કરવી..?? તેવી બુમ ઉઠી હતી માટે જિલ્લા કલેક્ટર આવી બાબત ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

લીંબડી શહેરના પરસોતમભાઈ મકવાણાને પ્રદેશકક્ષાની આમ આદમી પાર્ટીની જવાબદારી આપતા તેઓનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અરવલ્લી : ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં તસ્કરોએ 1.80 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

અંક્લેશ્વરનો ઝેરી વેસ્ટ સુરત લઈ જતાં કૌભાંડીઓ વિરુધ્ધ ફરિયાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!