Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલીયા તાલુકાનાં રાજપરા ગામે જીઓ કંપનીનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોટકાતા કોરોના વાયરસની મહામારીનાં સમયમાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Share

વાલીયા તાલુકાના રાજપરા ગામમાં મહત્તમ આદિવાસી સમાજના ખેડૂત પરિવારો વસવાટ કરે છે તેઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઇ શિક્ષણ સંસ્થાઓ બંધ છે જેથી આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તેઓને જીઓ કંપની દ્વારા યોગ્ય પ્રમાણમાં નેટવર્કની સુવિધા પૂરી પાડવામાં નથી જેને કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીનું જીવન શિક્ષણ નહીં મળવાથી બગડી રહ્યું છે. ત્યારે બીજી તરફ યોગ્ય નેટવર્કનાં આભાવે અન્ય ગ્રાહકોનાં કામકાજો ખોરંભે પડી રહ્યા છે. આ બાબતે સ્થાનિક ગ્રાહકોએ વારંવાર જીઓ કંપનીના જવાબદાર અધિકારીને રજૂઆતો કરી છે છતાં ન્યાય મળતો નથી. હવે આ મુદ્દે સ્થાનિક સરપંચ અને સામાજિક આગેવાનોએ કંપનીના જવાબદાર અધિકારીને લેખિત રજૂઆતો કરવાનું નક્કી કર્યું છે તેમજ સમસ્યાનું નિરાકરણ દિન ૧૫ માં નહિ કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષાનો આશરો ગ્રાહકો લેશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે અન્યાયના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

આણંદ-જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લાના ત્રણ પીઆઈ અને છ પીએસઆઈની કરવામાં આવી આંતરીક બદલી..

ProudOfGujarat

એકજ દિવસ માં બે વાર એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી ભરૂચ શહેર 108 ના કર્મચારીઓએ બે માતા અને બે બાળકના જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું….

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામે અમદાવાદના યુવકનું નદીમાં ડૂબી જતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!