Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલીયા તાલુકાનાં રાજપરા ગામે જીઓ કંપનીનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી વારંવાર ખોટકાતા કોરોના વાયરસની મહામારીનાં સમયમાં ઓનલાઇન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Share

વાલીયા તાલુકાના રાજપરા ગામમાં મહત્તમ આદિવાસી સમાજના ખેડૂત પરિવારો વસવાટ કરે છે તેઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઇ શિક્ષણ સંસ્થાઓ બંધ છે જેથી આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તેઓને જીઓ કંપની દ્વારા યોગ્ય પ્રમાણમાં નેટવર્કની સુવિધા પૂરી પાડવામાં નથી જેને કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીનું જીવન શિક્ષણ નહીં મળવાથી બગડી રહ્યું છે. ત્યારે બીજી તરફ યોગ્ય નેટવર્કનાં આભાવે અન્ય ગ્રાહકોનાં કામકાજો ખોરંભે પડી રહ્યા છે. આ બાબતે સ્થાનિક ગ્રાહકોએ વારંવાર જીઓ કંપનીના જવાબદાર અધિકારીને રજૂઆતો કરી છે છતાં ન્યાય મળતો નથી. હવે આ મુદ્દે સ્થાનિક સરપંચ અને સામાજિક આગેવાનોએ કંપનીના જવાબદાર અધિકારીને લેખિત રજૂઆતો કરવાનું નક્કી કર્યું છે તેમજ સમસ્યાનું નિરાકરણ દિન ૧૫ માં નહિ કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષાનો આશરો ગ્રાહકો લેશે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે અન્યાયના વિરોધમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા આર.આર સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ચોરી ની પ્લેટ સાથે આઆરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર

ProudOfGujarat

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!