Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ ભીષણ આગનું રહસ્ય અકબંધ હજી આગ લાગવાના કારણો શોધી શકાયા નથી.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા સ્થિત APMC માં ગતરોજ તા.16-8-2020 નાં બપોરનાં સમયે વરસતા વરસાદ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગનાં તાંડવમાં 14 કરતાં વધુ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. શાકભાજી અને ફળફળાદીનાં જથ્થાબંધ વેપારીઓને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે. 14 દુકાનોનાં ફર્નિચરથી માંડી વીજળીના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. શાકભાજી અને ફળફળાદી નષ્ટ થઈ ગઈ છે. ત્યારે તા. 17-8-2020 નાં રોજ વેપારીઓએ દુકાનની બહાર ઊભા રહી શાકભાજીનો ધંધો કર્યો હતો. આવી પરિસ્થિતીમાં હજી આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે ચોકકસપણે જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

ભરૂચના વેશદરા પાસે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ પર આવેલ લકઝરી બસનાં ચાલકે બાઇક સવારને અડફેટે લીધો.

ProudOfGujarat

વડોદરા: મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!