Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ APMC માં લાગેલ ભીષણ આગનું રહસ્ય અકબંધ હજી આગ લાગવાના કારણો શોધી શકાયા નથી.

Share

ભરૂચ નગરનાં મહંમદપુરા સ્થિત APMC માં ગતરોજ તા.16-8-2020 નાં બપોરનાં સમયે વરસતા વરસાદ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગનાં તાંડવમાં 14 કરતાં વધુ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. શાકભાજી અને ફળફળાદીનાં જથ્થાબંધ વેપારીઓને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે. 14 દુકાનોનાં ફર્નિચરથી માંડી વીજળીના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. શાકભાજી અને ફળફળાદી નષ્ટ થઈ ગઈ છે. ત્યારે તા. 17-8-2020 નાં રોજ વેપારીઓએ દુકાનની બહાર ઊભા રહી શાકભાજીનો ધંધો કર્યો હતો. આવી પરિસ્થિતીમાં હજી આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે ચોકકસપણે જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

ProudOfGujarat

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat

હજારો ભાવિક ભક્તો પદ યાત્રા કરી વિવિધ હનુમાનજીના મંદિરે જવા રવાના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!