Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

Share

કોરોના મહામારીનાં આ સમય દરમિયાન વિધ્નહર્તા દેવ ગણેશજીને પણ કોરોનાનું વિધ્ન નડયું હોય તેમ તંત્ર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંધન કરનારાઓ સામે પગલાં ભરવા અંગે તંત્ર દ્વારા ચેતવણી સાથે લોકોને સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ત્યારે આજે શુબ મુહૂર્તમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન ભક્તોએ પોતાના નિવાસસ્થાન ખાતે કર્યું હતું. જેમાં ઘરનાં સભ્યો સિવાય કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું. તેમ છતાં ભકતોએ ઉમંગ સાથે ગણેશજીની સ્થાપના કરી હતી. આ વર્ષે ગણેશજીની કોઈ શોભાયાત્રા, ડી.જે કે અન્ય કાર્યક્રમો યોજાયા ન હોવાના પગલે ભરૂચ પંથકમાં વિતેલા વર્ષોની જેમ સાર્વજનિક ઉમંગ કે ઉત્સાહ જણાતો ન હતો.

Advertisement

Share

Related posts

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા નગરમાં આડેધડ પાર્ક કરાતા વાહનો પ્રત્યે પોલીસની લાલઆંખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!