Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચ રેલ્વેતંત્ર દ્વારા કસક ગરનાળાનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. જેથી તા.3-9-2020 નાં રોજ એક દિવસ માટે કસક ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે.

જે અંગે અગાઉથી સૂચના આપી હતી તેમ છતાં આજે કેટલાક વાહનચાલકો કસક ગરનાળાથી થઈને જવાનો પ્રયાસ કરતાં હોવાનું જણાયું હતું. તંત્ર દ્વારા કસક ગરનાળું બંધ કરાતા પાંચબત્તીથી શક્તિનાથ થઈ ભૃગુઋષિ ઓવરબ્રિજ થઈને પસાર થવાનો વાહનચાલકોને વિકલ્પ આપવામાં આવ્યો છે જેથી આજે ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કસક ગરનાળા પર અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર બંને તરફ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કેટલાક નોકરિયાતોને નોકરીનાં સ્થળે સમયસર જઈ શકયા ન હતા. આ ઉપરાંત વેપારીઓ પણ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળના ચરેઠા ગામે યોજાયેલી ગ્રામસભામાં જીઆઇપીસીએલ કંપનીની જમીન સંપાદન પ્રક્રિયાનો પ્રચંડ વિરોધ થયો.

ProudOfGujarat

નડિયાદ : શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!