Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂર ઓસર્યાનો અનોખો વિક્રમ જાણો કયો ?

Share

ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવી આશરે 35 ફૂટ કરતાં વધુ સપાટીએ પહોંચી ગઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાના પગલે પૂરની પરિસ્થિતી ઉદભવી હતી. પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું કે ચઢેલ પૂરની સપાટી પૂનમ હોવા છતાં ખૂબ ઝડપથી ઉતારી હતી જેના પગલે ભરૂચ જીલ્લાનાં નર્મદા કિનારાની આજુબાજુનાં ગામોનાં રહેવાસીઓએ હાશકારાની લાગણી અનુભવી હતી. ગણતરીનાં કલાકોમાં પૂરની સપાટી ઘટીને 15 ફૂટ સુધી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. એમ માનવમાં આવતું હતું કે પૂરની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ઝડપથી નહીં ઉતરે કેમ કે પૂનમ હોવાના પગલે દરિયો કદાચ ઝડપથી પાણી ગ્રહણ નહીં કરે પરંતુ એક અદભુત ઘટના કહી શકાય તેવી રીતે પૂરની સપાટી ખૂબ ઓછા સમયમાં નીચે ઉતરી હતી. જે અંગે હજીપણ પૂરનાં જાણકાર નિષ્ણાંતો આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના શુક્લતીર્થ ખાતે કારતકી પૂનમના અવસરે ભવ્ય ધાર્મિક તેમજ આનંદ મેળા નું આયોજન…

ProudOfGujarat

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

પાટીદાર સમાજનાં જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિખલીમાં ઓક્સિજનની સહાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!