Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂર ઓસર્યાનો અનોખો વિક્રમ જાણો કયો ?

Share

ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવી આશરે 35 ફૂટ કરતાં વધુ સપાટીએ પહોંચી ગઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના પગલે અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાના પગલે પૂરની પરિસ્થિતી ઉદભવી હતી. પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું કે ચઢેલ પૂરની સપાટી પૂનમ હોવા છતાં ખૂબ ઝડપથી ઉતારી હતી જેના પગલે ભરૂચ જીલ્લાનાં નર્મદા કિનારાની આજુબાજુનાં ગામોનાં રહેવાસીઓએ હાશકારાની લાગણી અનુભવી હતી. ગણતરીનાં કલાકોમાં પૂરની સપાટી ઘટીને 15 ફૂટ સુધી ગોલ્ડન બ્રિજ ખાતે નોંધાય હતી. એમ માનવમાં આવતું હતું કે પૂરની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ઝડપથી નહીં ઉતરે કેમ કે પૂનમ હોવાના પગલે દરિયો કદાચ ઝડપથી પાણી ગ્રહણ નહીં કરે પરંતુ એક અદભુત ઘટના કહી શકાય તેવી રીતે પૂરની સપાટી ખૂબ ઓછા સમયમાં નીચે ઉતરી હતી. જે અંગે હજીપણ પૂરનાં જાણકાર નિષ્ણાંતો આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસના જવાનોએ ખડેપગે ઉભા રહીને મતદાન કરાવવામાં વડીલોની મદદ કરી હતી…..

ProudOfGujarat

જમ્મુ કાશ્મીર ના કથુવા અને યુપી ના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરા માં બાળા સાથે થયેલ દુષ્કર્મ ના વિરોધ્ધ માં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી ગુનેગારોને ફાંસી ની સજા ની માંગણી કરવામાં આવી હતી

ProudOfGujarat

૧૪ માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!