Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં નર્મદા નદીનું પૂર ઓસરતા સ્થળાંતરિત પરિવારોની વતન વાપસી.

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીનો ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા પુરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના ઓરપટાર, જુની તરસાલી, જુના ટોઠિદરા, જુના પોરા જેવા કાંઠાના ગામોમાં પુરના પાણી ભરાતા આ ગામોના પુર અસરગ્રસ્ત પરિવારોનું સ્થળાંતર કરાવાયુ હતુ. બાદમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવરમાં પાણીની આવક ઘટતા નદીમાં છોડાતા પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.તેને લઇને નર્મદામાં પુરના પાણી ઓસરતા હવે આ પુર અસરગ્રસ્ત પરિવારો પોતાના ગામોએ પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામો પુર ગ્રસ્ત બનતા આ ગામોના અસરગ્રસ્ત પરિવારોને ભાલોદ, નવી તરસાલી, નવા ટોઠિદરા અને અવિધા ગામોએ ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો હતો. કાંઠાના ગામોના પુરગ્રસ્ત માણસો અને પાલતુ પશુઓનું સ્થળાંતર કરાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના રાજપારડી પોલીસે શંકાસ્પદ ૧૧ જેટલા મોબાઈલ સાથે એક ગઠિયાને ઝડપી પાડયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે સંયુક્તપણે ‘iShield’ લોન્ચ કર્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના અને બી.એલ.ઓ ના રજા પગાર અંગે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!